॥ ૐ ॥
નર્મદાજી કિનારે તીર્થ એક મોટુ,
પવિત્ર બનાવે નથી એમાં ખોટુ,
કેવળ હિત જ કરતા હનુ-મંતેશ્વર,
તપ તેજ વૃદ્ધિ કરે …. રે …. લોલ ટેક ૧
શિવજી બિરાજે છે પ્રકાશ ભરતા,
ભાવ ધરી સંતો સૌ દર્શન કરતા,
સિદ્ધોની સાધના સિદ્ધ કરનારા,
પ્રગટ અમર ધામના …. રે…. લોલ ર
નર્મદાજી પરિક્રમા કરનાર આવે,
ગુફામાં નારાયણસ્વામી યાદ આવ,
બદ્રીનારાયણે દર્શન આપ્યાં,
ગુફામાં રહી ભજન કર્યું …. રે …. લોલ ૩
સિદ્ધિદાયક ગણપતિ સિદ્ધિ દેતા,
ઉપાસના કરીને શાંતિ સૌ લેતા,
પાર્વતી માતાજી પ્રસન્ન થાતાં,
આદ્યભવાની દૃઢતા કરે …. રે …. લોલ ૪
શ્રદ્ધા ને વિશ્વાસ સાર્થક થાતાં,
વેદ ને શાસ્ત્રના ભેદ મળી જાતા,
બ્રાહ્મણ ગાયત્રી ઉપાસના કરી,
હૃદયમાં પ્રકાશ ભરે …. રે …. લોલ ટેક પ
સભામંડપમાં રામકથા અખંડ થાતાં,
ચૈતન્ય મહાપ્રભુ યોગીઓ આવતા,
રામકથા રામજી કૃપાથી તારનારી,
છ માસ આકાશ ગૂંજતી રહી …. રે …. લોલ ૬
અનેક ભક્તો દૂરદૂરથી આવ્યા,
શ્રવણ કરી કથા શુદ્ધ બનાવ્યા,
મોટામોટા યજ્ઞો અહીં થાતાં,
સાગર મહારાજ સંત રહે …. રે …. લોલ ૭
હનુમાનજી દર્શન ગર્વને ગાળતાં,
રામ-લક્ષ્મણ,જાનકી સૌને સાંભળતાં,
પ્રેમલક્ષણા ભક્તિને વધારે,
દર્શનમાં પ્રેમ ધરો …. રે …. લોલ ૮
યોગી, તપસ્વી, જ્ઞાનીઓ આવે,
ગુપ્ત પ્રગટ ભાવ ઉમંગ લાવે,
વાતાવરણમાં શાંતિ ભરનારો,
આત્મભાવ જાગ્રત કરે …. રે …. લોલ ૯
આવો આવો સૌ પ્રેમ ધરી આવો,
હૃદયમાં અખંડ ભરવાને ભાવો,
પ્રાણમાં પ્રભુને પૂરીને રાખો,
પ્રાણ પ્રભુને જ મળે …. રે …. લોલ ૧૦
રામજીના પ્રેમમાં અંતર આરામ છે,
સાચા કૃપાળુની કૃપામાં વિશ્રામ છે,
સાગર મહારાજનો અખંડ રામદીવો,
હૃદય પ્રેરણા રામ જ કરે …. રે …. લોલ ૧૧
અન્નધન ખર્ચો સાચું જ સ્થાન છે,
રામનું આપેલ એને ધરવામાં સાર છે,
જીવન અમૂલ્ય સમજણ સાચી,
તીર્થમાં આપી પાવન બનો …. રે …. લોલ ૧ર
॥ ૐ ॥