આપો બુધ્ધિ પ્રભુજી શુધ્ધ સારી

આપો બુધ્ધિ પ્રભુજી શુધ્ધ સારી

ત્રણ ગુણથી અમને છોડાવનારી;

તનમનમાં ધગશ, તારાં દર્શન તણી,

કરી ભજન પ્રેમે, મેળવો સાચો ધણી. ટેક

પાપો કરતાં અમે સઘળું ખોયું,

સાચું સમજી વિષયમાં મનડું મોહ્યુ;

એવી અવળી સમજણને દૂર કરો,

દયા કરીને આપજો પ્રેમ ખરો. …

તારે ભરોસે જીવન અર્પણ કર્યું,

એવા અનેક ભક્તોને સુખ વર્યું;

નાથ ક્રુપા કરીને વચન આપો,

કદી ન ભૂલીએ, એવો મારો થાપો. …

ધ્યાન કદી નવ ચુકીએ પ્રભુ તારું,

 બીજાં સ્વપ્નને છોડી દે મનડું મારું;

વિધાહીન અમે છીએ બાળ તારાં,

તારા શરણથી જાશે પાપ અમારાં.

સુખદુ:ખ દેખીને નવ ડરીએ,

કામો કરતાં પ્રભુજી નવ ભૂલીએ;

પ્રાણ છોડતાં નામની યાદી રહે,

શ્રધા રાખે તો સઘળાં સુખ લહે. …

ગુરુ વાક્યનું સાચું પ્રમાણ મળે,

જ્ઞાન પ્રગટીને પાપો સઘળાં બળે,

છોડો સાચા એ સંતના ચરણે જીવન,

સાચું કહે છે સદગુરુ ભગવન ….

AAPO PRABHUJI BHUDHI SHUH SARI….

આપો બુધ્ધિ પ્રભુજી શુધ્ધ સારી

Leave a comment

Your email address will not be published.