મારા અંતરની ઊજળી વાણી
પ્રભુથી મેં તો જાણી
ખોટી વાતો ગમતી નથી …ટેક
મારી દ્રષ્ટિમાં નિર્મળ જ્યોતિ
એણે જ મને ગોતી
અજ્ઞાન સામે જોતી નથી …મારા
મારી શ્રદ્ધા તો જ્ઞાનને લાવે
વિદ્યા ખરી ભણાવે
વિના સત્ય સિદ્ધિ નથી …મારા
મારી શક્તિમાં દેશની ચડતી
કદી ન થાય પડતી
ભણાવનાર ભૂલી નથી …મારા
મારા શાંતિ આનંદ છે સંગી
એના જ રંગે રંગી
હરક-શોક કરતી નથી …મારા