ક્રુષ્ણ ગોવિંદ ગોપાલ ગાતા રહો

ક્રુષ્ણ ગોવિંદ ગોપાલ ગાતા રહો

મનને સ્થિર કરવા સત્સંગ કરતા રહો, …ટેક

વિષય વિષ સમ જાણીને આધા ખસો,

બની અંધ પતંગ જેમ, તેમાં ન ફસો;

પ્રભુ મળશે વિશ્વાસે વળગી રહો….કૃષ્ણ ગોવિંદ

પ્રભુ મેળવવા વ્યાકુળ હ્રદયથી થજો,

ગુરુ જ્ઞાની બતાવે તે માર્ગે જજો;

ખોટી ભ્રમણાઓ છોડીને શરણે રહો….કૃષ્ણ ગોવિંદ

છોડી શત્રુતા, તમે પ્રેમ ધારણ કરો,

રાખી ભક્તિમાં ધ્યાન, ભજન કર​‌તા રહો;

કુશળ કર્મમાં ,સદગુણને ધારી રહો….કૃષ્ણ ગોવિંદ

દુ:ખના વખતમાં ,ધીરજને મૂકશો નહિ,

અભય ધારણ કરી ,પ્રભુને ભૂલશો નહિ;

રાત દિવસ પ્રભુનું ,ધ્યાન ધરતા રહો…કૃષ્ણ ગોવિંદ

સ્વાદ છોડ્યા વિના, સંયમ ન સાચો રહે,

કરો ઇનિદ્રયનિગ્રહ ,એમ સંત કહે;

પશુતા છોડી, ઈશ્વરને શરણે રહો…કૃષ્ણ ગોવિંદ

સુખનું મૂળ છે પ્રભુ  ભજન કરો,

નથી ખોટ તેમાં, વાત હ્રદયે ધરો;

કરી શુભ કામ, પાપોથી ડરતા રહો…કૃષ્ણ ગોવિંદ

કહે ભક્ત ગુરુજીને શરણે ગયેલો,

પ્રભુ તારશે એ વિશ્વાસ નિશ્રય થયેલો;

આખંડીથી પ્રભુ ન​વ અળગા રહો….કૃષ્ણ ગોવિંદ

KRUSHNA GOVIND GOPAL GATE RAHO….

Leave a comment

Your email address will not be published.