ગુરુજી અનુભવી અંતરના સાચા

॥ ૐ ॥

(રાગ : જૈજૈવંતી  કલ્યાણ ગરબી)

 


 

ગુરુજી અનુભવી અંતરના સાચા,

 સમજે સાન તેની સદા શુદ્ધ વાચા,

ગુરુજી પ્રકાશે દિવ્ય જ્ઞાન જ્યોતિ,

ભરી દે હૃદયમાં ઉત્તમ ભાવ ગોતી …. ટેક ૧

॥ ૐ ॥

 મોહ-શોક-મમતાના દોષો હઠાવે,

 ઉત્તમ વિશુદ્ધિ હૃદયની બનાવે,

 પરબ્રહ્મ સાથે વૃત્તિને સમાવે,

બતાવે  છે યુક્તિ સ્થિર દૃઢતા રખાવે  …. ર

અખંડ શાંતિ સમતા આનંદનિવાસી,

પ્રકાશે જીવનમાં અમરતા વિકાસી,

અદ્‌ભૂત કૃપાળુ ગુરુજી સદાના,

ચૈતન્ય અગોચર અનંત કળાના …. ૩

॥ ૐ ॥

પ્રાણોની શુદ્ધિ અને સંયમ પ્રભુ સ્મરણથી થાય છે.

॥ ૐ ॥

મંગળ સુંદર કરવા સહુનું,

ગુરુજીનું જ્ઞાન ને કામ જ હિતનું,

હૃદયને ગુરુજી સત્ય રંગે રંગતા,

પલટતા એ ભાવિ એની શક્તિ ભરતા …. ૪

સમજના અભાવેથી યુગો ભટકતા,

ગુરુજી સુધારી અવિનાશી કરતા,

વેદશાસ્ત્ર​ સર્વનો સાર બતાવે,

વિજયનો અલૌકિક નાદ ગજાવે …. પ

જગાડે ગુરુજી તો નહિ મોહ વ્યાપે,

અભય મુદ્રા તેની જ નિર્ભયતા આપે,

સંયમ સાથે શ્રધ્ધા અવિચળ રહે તો

ગુરુજીની અમર વાણી ફળે તો …. ૬

ગુરુજી દૃષ્ટિમાં અમૃત ભરેલું,

સિંચન તેનું થાતાં જ ભાગ્ય ફળેલું,

ગુરુજીના વિશ્વાસે વળગી રહેતા,

આત્મબળ ગુરુજી નિશ્ચય ભરતા …. ૭

 


॥ ૐ ॥

 ચિત્ત ચૈતન્ય સાથે મળી જાય ત્યારે બ્રહ્મ સંબંધ કહેવાય, નાડી ને પ્રાણ ખેંચાય, પ્રભુના ભાવથી ભાવિત થાય ત્યારે લક્ષનું વેધ કરી શકાય

GURUJI ANUBHAVI ANTAR NA SACHA,

Leave a comment

Your email address will not be published.