ગુરુ જ્યોતિ પ્રકાશ છે

॥ ૐ ॥


ગુરુ જ્યોતિ પ્રકાશ છે, એમાં સ્થિર થા, સ્થિર થા,

ગુરુ પ્રેમામૃત જ્ઞાન છે, એમાં એક થા એક થા ….

-સાખી-

ગુરુને તમે દેહ માનતા, એ જ તમારી ભૂલ,

દેહાતીત ગુરુને સમજવા, ગુરુમાં હોય ન ગર્વની શૂળ….

-સાખી-

ગુરુને અનાદિ જાણવા, અખંડ સત્ય સદાય,

યુગોના ચૈતન્ય દિવ્યતા, જડતા એમાં ન જણાય ….

-સાખી-

ગુરુની અકળ ગતિ રૂપાંતર જાગૃતિ પમાય,

જીવન સુગંધ ગુરુ તણી, રાગદ્વેષથી મુક્ત થવાય….

-સાખી-

ગુરુમાં સાચા મળી જતા, અખંડિત વ્યાપક શક્તિ સદાય,

એ જ સાચો તમારો આત્મા ભીતર, એમાં જ સાચી સહાય….

-સાખી-

મળતાં મળતાં અભય બને, ભયનો સદા વિનાશ,

વાસના વસ્તુની છૂટી જતાં, અવિનાશી પૂર્ણ પ્રકાશ….

-સાખી-

પૂર્ણતા સઘળે એની જ ભરી, એના વિના બીજું નથી કોઈ,

સઘળા સ્થળમાં ભરપૂર ભર્યા, એની દૃષ્ટિ દિવ્ય જ હોય ….

-સાખી-

સદાય પૂર્ણતામાં રહો, જુદા કરતા મનને ગર્વ,

બુધ્ધિનું ડહાપણ મળે તો, ભૂલમાં ભમતા સર્વ ….

-સાખી-


॥ ૐ ॥

🕉️પાન નં 199,ગુરુ જ્યોતિ પ્રકાશ છે, એમાં સ્થિર થા, સ્થિર થા , 🕉️
🌷🙏🏼જય સદગુરૂ 🙏🏼🌷

Leave a comment

Your email address will not be published.