જ્ઞાન વધારીને બકવાદ કરો,

                         

                         જ્ઞાન વધારીને બકવાદ કરો,

          

તેના કરતાં પ્રભુજીનું ધ્યાન ધરો;

અનંત બ્રહ્માંડનો એક સાચો ધણી,

એને સમજી લેજે તું શિર મણિ.

જેના દર્શન કરવા સૌને ગમે,

એવા વિભુને સઘળા દેવ નમે;

પાપી મૂરખ ઈશ્વરને ભૂલી ગયો,

હરિથી વિમુખ શાને માટે થયો?

માયાના પૂર વિશે ખૂબ ભમ્યો,

જઇ સંતને ચરણે તું નવ નમ્યો ,

તારું એળે સઘળું આયુષ્ય ગયું,

છતાં પ્રભુ ભજવાનું મન ન થયું

તને ગરીબનાં દુ:ખોની વાત ન ગમે,

તારું ધનને મેળવવામાં મનડું ભમે,

તારી ત્ત્રુષ્ણા તો દિનદિન વધતી રહે,

હવે સંતોષ રાખ એમ સંત કહે.

તારે સાંભળળી ન વાત બીજી,

બન્યો મોટો મનમાં, તો તું છે પાજી,

વિષય-ભોગમાં સુખ તું માની બેઠો,

દુ:ખના મૂળમાં સદા મેં ભય દિઠો.

કહે સાધુ-ભક્ત હવે ચેત વીરા,

પ્રભુને ભજે તે તો છે વિરલા ખરા.

જ્ઞાન વધારીને બકવાદ કરો,

Leave a comment

Your email address will not be published.