॥ ૐ ॥
પતિતપાવન હો ભગવાન, કુબુદ્ધિ ટાળી આપો જ્ઞાન,
ભક્તિ-જ્ઞાન વૈરાગ્યનું ધામ, અમૂલ્ય સાધન પ્રભુજીનું નામ.
અનેક યુગના મેલ કપાય, ત્યારે પ્રભુનાં દર્શન થાય,
સ્મરણ પ્રભુજીનું પ્રેમથી થાય, ત્યારે દીવાળી સાચી ગણાય.
અમારી ઈચ્છા નાશ જ થાય, પ્રભુ ઈચ્છામાં તે મળ જાય,
સંત સમાગમ સમજી કરાય, તેને પ્રભુનાં દર્શન થાય.
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અસત્યની સામે લડવાનું છે.
સદ્ગુરુ ચૈતન્ય પ્રકાશ આત્મા છે.
॥ ૐ ॥
પતિતપાવન હો ભગવાન ,
🙏🏻 જય સદગુરુ 🙏🏼