રાધા -કૃષ્ણનું પ્રેમથી ધ્યાન ધરો
રાત દિવસ તેમનું સ્મરણ કરો. …રાધા -કૃષ્ણનું
સાચા સંતનો સત્સંગ થાશે જ્યારે,
મળશે પ્રભુજી પાળશો વચન ત્યારે…રાધા -કૃષ્ણનું
મોહ-મમતાથી જ્યારે મુક્ત થશો,
ત્યારે અંધારાને તમે છોડી જશો. …રાધા -કૃષ્ણનું
દિવ્ય જ્યોતિ પ્રકાશ અખંડ રહે,
તેના અનુભવી સાચું સુખ લહે. …રાધા -કૃષ્ણનું
થાય વાસના નષ્ટ મલિન સહું,
ત્યારે પ્રગટે પ્રભુજીમાં પ્રેમ બહુ. …રાધા -કૃષ્ણનું
જગનાં કામો કરતાં પ્રભુ નવ ભૂલો,
સોંપો અદભૂત ગ્યાનને મનનો ઝૂલો.. રાધા -કૃષ્ણનું
નિમ્ઁળ દ્રષ્ટિથી વિશ્વમાઁ દર્શન કરો,
ત્યાગી અહંકાર જગતમાંહી ફરો. …રાધા -કૃષ્ણનું
વિભુ અખંડ ભક્તિ આપો તમે,
સહુ ભક્તોને તમારા વિના ન ગમે. …રાધા –કૃષ્ણનું
રાધા -કૃષ્ણનું પ્રેમથી ધ્યાન ધરો