વૃંદાવનમાં મીરાંના ભજન – રાસ

॥ ૐ ॥

 (ભજન) ૧૦


વૃંદાવનમાં મીરાંના ભજન

નાદ ગૂંજે આકાશ …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૧

પૃથ્વી પર મીરાં પ્રેમમાં તરબોળ

હૃદય વસ્યો ગિરધર ગોપાળ …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ર

ગિરધર ગોપાળ મીરાં બધે જ દેખતાં

વિસ્મય ચરિત્ર અનંત …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૩

ગિરધર ગોપાળ રૂપો અનંત ધરતાં

પ્રેમ-આનંદ વધતા ભરપૂર …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૪

પ્રાણની પ્રીતિમાં મીરાં દિવ્ય જ રહેતાં

સદા જાગૃતિ પ્રભુ સાથ …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. પ

દૃષ્ટિ દેખાડનાર સમર્થ મીરાંનો

રોમરોમ રમતો વિરાટ  …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૬

પૂર્ણાનંદ મીરાંનો સોળે કળાએ ખીલતો

ગિરધર ગોપાળ કળાકાર …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૭

બધાએ બળમાં બળ આપનારો

ગિરધર ગોપાળનો સાથ …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૮

જેની કૃપાથી મીરાંનું હૃદય રંગાણું

પાકો રંગ ગિરધર ગોપાળ …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૯

વિશ્વ ઘડનાર મીરાંના હૃદય પુરાણો

અનુભવી અનાદિ સાક્ષાત …. રે

મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૧૦

॥ ૐ ॥

vrundavan ma mirana bhajan

મીરાં વૃંદાવનથી અનેક તીર્થોમાં ફરીને, ભક્તિના રંગમાં ઘણાનો ઉધ્ધાર કરે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા આવે છે, ત્યાં પણ ભજન સિવાય બીજું કોઈ કાર્ય નથી રહેતું. અંતિમ સમય સુધી ભજન જ કર્યા છે. અત્યારે પણ જેનામાં પ્રેમ પ્રગટ થાય તેને પ્રત્યક્ષ દર્શન થાય છે. મીરાંનો ભાવ ચેતન છે. પ્રગટ શ્રી ગિરધર ગોપાળમાં નિષ્ઠા પાકી છે. ભગવાન એની વાણી સાંભળીને આવે છે.


॥ ૐ ॥