શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની

॥ ૐ ॥


શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની

ભાવના ભરેલ, શ્રધ્ધા-ભક્તિ, સંયમની,

સંયમ વિના બુદ્ધિ સ્થિર ન બનતી,

નિષ્ઠા અચળ બ્રહ્મની,તેને ન મળતી …. ૧

વિકાર કર્યા વિના વિષયો પ્રવેશે,

સ્થિર બુદ્ધિવાળો શાંતિથી રહેશે,

વિષય -ભોગના વિચારો આવે,

ભ્રમણા વધે, દુઃખ અશાંતિ લાવે …. ર

કામના તજીને સ્પૃહા જેણે છોડી,

મમતા સહિત ગર્વની પ્રીતિ તોડી,

સમજણ સમતા મન સ્થિર ઠામે,

તે સાચી બ્રહ્મની શાંતિને પામે …. ૩

બ્રહ્મકૃપાથી બ્ર્‌હ નાદ જાગે,

અંતકાળ સુધી મોહ દૂર જ ભાગે,

બ્રહ્માનંદ આનંદ બ્રહ્મનો વધશે,

બ્રહ્મવૃત્તિ સ્થિર થાતાં બ્રહ્મને મળશે …. ૪

શ્રધ્ધાથી તત્પર જિતેન્દ્રિય બનશે,

જ્ઞાન થાતાં તરત (સાચી)શાંતિ મળશે,

સકામ યોગી ફળમાં બંધાશે,

(શાંત) નૈષ્ટિક યોગી ફળ તજી રાજી થાશે …. પ

યજ્ઞ તપના ભોક્તા મહેશ્વરને જાણો,

સર્વે પ્રાણીના મિત્ર જાણી શાંતિને માણો,

રજાગુણ છોડી મન સ્થિર કીધું,

પાપ તજી બ્રહ્મ બની સાચું સુખ લીધું …. ૬

બ્રહ્મની શાંતિથી બ્રહ્મલીન થાશે,

અંતઃકરણ મન યોગમાં મળી જાશે,

પ્રભુમાં નિશ્ચયવાળો ધર્માત્મા થાતો,

ધ્યાન તેનું રાખે પ્રભુ તે તરી જાતો ….૭


॥ ૐ ॥

શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની,

💐પાન નં:- 166, શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની ,,💐
🙏🏼જય સદગુરૂ,,🙏🏻

Leave a comment

Your email address will not be published.