સદાય સુતકી ગણાય

સદાય સુતકી ગણાય, જેના હ્રદયથી મેલ ન જાય,

તેવા નર સદાય સુતકી ગણાય …ટેક

ઉપરથી સ્નાન કરીને માન​વ, પ્ર​વીણ બન​વા જાય જી,

 ભીતર ઇશ્વર ભજન વિના, મનમાં સદાય મૂંઝાય…. તેવા નર

છળકપટ ભરપૂર રાખી, સિધ્ધ બનવા જાયજી,

એવાના પરમાણુ લાગે, તેથી અનેક ઉપાધિ થાય ..તેવા નર

દયા તણી ન​વ વાત સુઝે, સદા ક્રોધનો રહે વાસજી,

સુખ બીજાનું લાગે ઝેર સમ, તેનો જલદી થાય કેમ નાશ..  તેવા નર

નિંદા કરવા જન્મ લીધો, તેથી સારું કેમ કરાયજી,

પ્રતિજ્ઞા ખરાબ કર​વા તણી, તેવી ટૅક ન તોડાય .. તેવા નર

ક્ષમાવ્રુતિથી કોઇ જ્ઞાની, તેના દોષ ભૂલી જાયજી,

એવોને મુરખ ગણીને, હાંસી કરવા ધાય .. તેવા નર

શાંતિથી કંઇ કર્મ કર​વું, તેમાં ઉપાધિ જણાયજી,

ખાવાપીવામાં સુખ સમજે, ભજનમાં દુ:ખ ભળાય .. તેવા નર

વિષ્ટાના કીડાને વિષ્ટામાં જેમ, સુખનો થાયે ભાસજી,

વિષય ભોગમાં લોભાણો જઇ, તેમાં દુ:ખ ભર્યુ ચોપાસ..તેવા નર

જેના ઘરનું મરે માણસ, તેને સુતકી ગણી લેયજી

ખાવાપીવામાં દોષ સમજી, તિરસ્કારથી જોય..તેવા નર

માટીનાં વાસણ અભડાઇ જાય, તેને નાખી દેવા તૈયારજી,

સોનું, રૂપુ ને રુપિયા, ન​વ નાખી દેવા વિચાર .. તેવા નર

શરીર બગડે તો મંત્ર જપથી, શુધ્ધ તેને બનાવાયજી,

ઈશ્વર ભજન વિના, કેમ કલ્યાણ થાય તે બતાવ …તેવા નર

સુતક સાચવી રાખ​વું ને જગતને બતાવવો જૉગજી,

કામ ચંડાળને અંદર રાખ્યો, તે જ ભયંકર રોગ…  તેવા નર

મોહ- મમતાના પૂરમાંથી, નીક્ળી જા તું ભાઇજી,

કહે ભક્તજન પ્રભુ ભજન કર, તો જ સુતક જનાર …તેવા નર

તેવા નર સદાય પ​વિત્ર ગણાય ( 2 )…………..

સદાય સુતકી ગણાય, જેના હ્રદયથી મેલ ન જાય,

Leave a comment

Your email address will not be published.