હૃદયમંદિરમાં વાસ પ્રભુનો

॥ ૐ ॥


 

હૃદયમંદિરમાં વાસ પ્રભુનો, નિશ્ચય સત્ય પ્રમાણ … રે

વિશુદ્ધ રાખવું સદાય તેને, કૂડકપટને ન સ્થાન …. રે …. ૧

વિવેક વિચારની દૃષ્ટિ રાખી, પ્રેમ વધે પ્રેમ પ્રકાશ રે,

અખંડ આનંદ પ્રભુની શાંતિ, અભય સંયમ જ્ઞાન રે …. ર

શ્રધ્ધા અચળ પૂર્ણ પ્રભુમાં, વિકારનો નહિ વાસ રે,

નિર્મળ દૃષ્ટિ અમૃત ભરેલી, એમાં જ સત્ય વિકાસ રે   …. ૩

પ્રાણમાં પ્રભુજી પ્રકાશ આપે, સાર્થક પ્રાણ ગણાય રે,

એક ઘડી પ્રભુ દૂર ન ગોઠે, પ્રાણની પ્રીતિ સદાય રે …. ૪

સહાય પ્રભુની રક્ષણ કરતા, શ્વાસ દોડે નહિ ક્યાંય રે,

અવિનાશીના અમરપણામાં, વિનાશી ભાવ ભુલાય રે …. પ

દેહ વિનાશી નાશ થવાનો, મમતા દેહની મૂકાય રે,

રાગદ્વેષનો વિસ્તર ઘટતાં, અવિનાશી ભાવમાં લક્ષ રે …. ૬

શત્રુતાનો ખ્યાલ ન આવે, હૃદયે પ્રભુનો નિવાસ રે,

ગર્વ છોડી પ્રભુને ભજવા, ધ્યાન જ્યોતિ સ્વરૂપ રે …. ૭

પતિતપાવન પાવન કરશે, અડોલ વૃત્તિ સંધાન રે,

ઉપાધિ તજીને નિર્મળ બનવું, દિવ્યતા પ્રભની ખાસ રે …. ૮

પૂર્ણ પ્રભુનો સંદેશો આવે, અગમ અગોચર પાસ રે,

હૃદયનો શૃંંગાર પ્રભુજી માનો, આશા ફાંંસીનો વિનાશ રે …. ૯

જીવન –મરણની આંંટી ઊકલે, સરળ સુંગધી સુવાસ રે,

યુગ સુધારો જલદી કરશે, રૂપાંતર શક્તિ અમાપ રે …. ૧૦

 


॥ ૐ ॥

પાન નં :- 143, હૃદય મંદિરમાં વાસ પ્રભુનો

Leave a comment

Your email address will not be published.