જેનો શુભ વિચારોની સાથે વિવેક રે

|| ૐ||


જેનો શુભ વિચારોની સાથે વિવેક રે               

                                ખેદ આવી એમાં શું કરે રે ?                               … ટેક

શાસ્ત્રને વિચારી જેણે વૃત્તિ શુધ્ધ કીધી

શાંતિનું ભોગવે સ્વરાજ રે, ગુલામી તેને શું કરે રે ? …. જી 

વિચારો ભટકતા જેણે સ્થિર કરી દીધા.

મને એનું જ્ઞાનથી અડોલ રે, ભ્રાંતિનું ભૂત  શું કરે રે ? …. જી 

રાગ, દ્વેષ, વિષથી ઈન્દ્રિયો બચાવી,

લાગે જેને સાચી પ્રભુની તાળી રે, જગ વહેમી એને શું કરે રે ? …. જી 

હૃદય વિશાળ આપ્યું, પ્રભુએ રે’વાનનું રાખ્યું,

રાત-દીન પ્રભુ છે રખવાળ રે, કુબુદ્ધિ આવી શું કરે રે ? …. જી 

સતનાં મૂળ ઊંડા નાખી, અસતને દૂર રાખી,

અખંડ જ્યોત પ્રભુની જગાવી રે, આગિયાની જ્યોત શું કરે રે ? …. જી 

દિવ્ય દૃષ્ટિ સાચી લીધી, ઊણપ ન રે વા દીધી,

સર્વેમાં એનો છે પ્રકાશ રે, અજ્ઞાન એને શું કરે રે ? …. જી 

દોષ સર્વે મુકી દીધા, ગુણ પ્રભુએ ભરી દીધા,

પ્રભુ સાચો શક્તિનો ભંડાર રે, નિર્બળ એને શું કરે રે ? …. જી 

પ્રભુનું શરણ સાચુ, એનું કામ ન હોય કાચું,

પ્રાણ પ્યારા પ્રભુ, રાખે સંભાળ રે કામનાઓ એને શું કરે રે ? …. જી 


|| ૐ||

JENO SHUBH VICHARO NI SATHE VIVEK RE…

Leave a comment

Your email address will not be published.