ભગવાન સદા રક્ષણ કરતા

॥ ૐ ॥


ભગવાન સદા રક્ષણ કરતા, ભગવાન સદા રક્ષણ કરતા

એની જાડીનો બીજા મળતો નથી, એની જાડીનો બીજા મળતો નથી

ઉપકાર અનેકો એના છે છતાં એને ગર્વ તે કરતો નથી … ભગવાન (૧)

પ્રભુ ભજન પ્રેમે કરે ને, ધ્યાન રોજ કરતો રહે,

આપે પ્રભુ બુધ્ધિ યોગ તેને, જઈ પ્રભુ- ધામે રહે,

                વચન ગીતામાં કહ્યું તે ખોટું કદી પડતું નથી … ભગવાન (૨)

પ્રભુ કૃપાળુ કૃપા કરીને  હૃદયની શુધ્ધિ કરે,

અજ્ઞાન વિષને દૂર કાઢી, જ્ઞાન દીવો પ્રગટ કરે,

                બદલો ન માગે કોઈ પાસે, એવો

આભાર – નિહારીકા રવિયા  જગતમાં જડતો નથી … ભગવાન (૩)

પરમ બ્રહ્મ પ્રભુજીનું અમર ધામ ગણાય છે,

એવા સનાતન આદિ દેવ, અજન્મા કહેવાય છે,

                વ્યાપક રહે છે સર્વમાં, અવિનાશી કદી એ મરતા નથી … ભગવાન (૪)

સર્વ ઋષિઓ વ્યાસ, નારદ, દેવલ પણ સાક્ષી પૂરે,

અજબ કળા કુદરત તણી વાણીને દૃષ્ટિ છે અમર ખરે,

                ઈશ્વર પોતે સાચું કહે, પછી સંશય કોઈને રહેતો નથી … ભગવાન (૫)

સહુ પ્રાણીના હૃદયમાં આત્મરૂપે પ્રભુ જ છે

આદિ સર્વ ભૂતોતણો અને મધ્ય અંત પણ તે જ છે

                સમર્થ એવા પ્રભુજીના, તેજ ઝાંખા કદી પડતા નથી … ભગવાન (૬)

બીજ સર્વ ભૂતો તણું, પ્રભુ વિના બીજું નથી

જીંગમ કે સ્થાવર હોયે, પ્રભુ વિના ફળતું નથી

                સ્થિતિ, ઉત્પન્ન, લય કરે, નજરે છતાં પડતા નથી … ભગવાન (૭)

પડદો બનાવ્યો સૌથી જુદો, છુપાઈ કામ ઘણાં કરે

પ્રગટ કામો કરી બતાવે, સમજણ છતાં પણ ના પડે

                સરલ પ્રભુ રસ્તો બતાવે, ગૂંચવણ કદીયે રહેતી નથી … ભગવાન (૮)

 


॥ ૐ ॥

bhagawan saa raxan karata ,

Leave a comment

Your email address will not be published.