॥ ૐ ॥
(સદગુરુ ચૈતન્ય – આત્મ સ્વરૂપે, સમષ્ટિનું ભજન)
આવો સદ્ગુરુ જ્ઞાનદિવાકર ત્રિવિધ તાપ હઠાવો …. રે
આવો અનાદિ યુગોના જૂના, આત્મજ્ઞાન વિના-હૃદય સૂના
વાચિક જ્ઞાનના ભ્રમમાં ભૂલ્યા, સત્ય જ્ઞાન સમજાવો …. રે
જ્ઞાન વધ્યું પુસ્તક પોથાનું, ચંચળ વૃત્તિના લાખો રૂપનું
ડુંબાડે એવી આસુરી વૃત્તિનું, ચિત્ત સ્થિર કરવા આવો …. રે
રાગદ્વેષ-દોષો બહુ લાવે, અંતરમાં ઊંડું સ્થાન જમાવે
રાગદ્વેષનો નાશ જ કરીને, અંતર શુદ્ધ બનાવો …. રે
પ્રજ્ઞાધારી આગમ બુદ્ધિ, પ્રેરણા સત સમજને શુદ્ધિ
વાણી વર્તનના એક જ તારમાં, જ્યોતિ આપની વસાવો …. રે
વિશ્વ વિષાદની વૃદ્ધિ મોટી, માનસિક રોગ પીડા છે ખોટી
દીન-દુઃખીની પીડા હરવા, ચૈતન્ય ભાવ જગાડો …. રે
નિરાશા ભય શોકો વધતા, મોહ ને મમતા બંધન કરતા
નિર્બળ પ્રાણમાં પ્રાણ ભરીને, ઊર્ધ્વ ગતિથી ચલાવો …. રે
પ્રેરક આપની-શાનની શક્તિ, નીરો શાંતિથી મંગળ કરતી
શ્રેષ્ઠ ગતિને હિત જ કરવા, અમર ભાવ દીપાવો …. રે
॥ ૐ ॥
🙏🙏જય સદગુરૂ 🙏🙏