॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ)
કેમ આપનું ધ્યાન ધરું પ્રભુ! આપ જ સત્ય બતાવો …. રે
કોટિ સૂર્યથી પ્રકાશ વધે પ્રભુ, ધ્યાનને કેમ લગાવું ? …. રે
શાંતિ ક્રાંતિમાં વીર આપ પ્રભુ, આપને કેમ રિઝાવું ? …. રે
સંતોષ કરતા વેદ ન જાણે પ્રભુ, આપના ભેદની રીતો …. રે
ગતિમાં સૌથી વધતા આપ પ્રભુ, વિશેષ ગતિમાં વખાણું …. રે
સ્મૃતિ આપની કદી ન ભૂલું પ્રભુ, રાત દિ રટણ લગાવું …. રે
શ્વાસ સ્થિરતા પ્રાણ શુદ્ધિ પ્રભુ, મોહથી શોકે ન ફસાવું …. રે
કર્તા-ભર્તા આપ જ એક પ્રભુ, બીજાને પૂછવું નકામું …. રે
અખંડ અનાદિ જ્યોતિ રૂપ પ્રભુ, અંધારે નથી જ મૂંઝાવું …. રે
પ્રેમ આનંદને વિજય આપ પ્રભુ, તમારા રાહે જ જવાનું …. રે
વૃત્તિ-સંકલ્પ ને વિચારો ત્યાગું પ્રભુ, ધારેલું આપનું થવાનું …. રે
બુદ્ધિભેદ કરી ભાગલા પાડે પ્રભુ, આપને સાક્ષી રહેવાનું …. રે
આપ સાચી જ સમજ ભરો પ્રભુ, કપટી રંગે ન રંગાવું…. રે
મન ઈન્દ્રિયો આપમાં રહે પ્રભુ, કુશળ આપની સાનમાં …. રે
ભાલમાં તમારું ચમકે તેજ પ્રભુ, ચૈતન્ય દિવ્યતા ધારું …. રે
પૂર્ણ સંદેશો આપનો કહો પ્રભુ, આપ જ સમાવો પૂર્ણમાં …. રે
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏼