॥ ૐ ॥
સાગરના કિનારા ખૂબ દીઠા, ભીતરનો સાગર જોવો છે,
સ્વરૂપથી દૂર નીકળી ગાય, સાચા ભીતર ભાવને જોવો છે …. ૧ ટેક
વહેવારે લાભ હાનિ જોઈ, ભીતરના સત્યમાં સમજ રહી,
સમજ ભરેલી જ્ઞાનદૃષ્ટિમાં, નિયતિના નિયમને જોવો છે …. ર
પ્રભુ સદા ઉપકારો કર્યો જ કરે, એના જેવો ઉપકારી કોઈ નહી
ગર્વ છોડી પ્રભુ પ્રેરણા કરે, પાલન ઊલટું થતાં ભૂલ રહી …. ૩
દેહ ભાવ મુકીને શિવ બનવું, ચૈતન્ય ભાવમાં જઈ ઠરવું,
દેહ સંઘાતે આઘાત ઘણો, એમાં જુગો સુધી ભુલા પડવું …. ૪
કર્તા બની શુભ અશુભ કર્મો, જડતા અજ્ઞાનથી માન્યા છે,
ભૂલ ભૂલામણી તજી દઈને, ચૈતન્યમાં નિર્મળ રહેવું છે …. પ
આલાપો કાઢી ગાવામાં, શુધ્ધ-બુધ્ધ સહુ વિરસાઈ જતી,
હૃદય પ્રાણ-નાભિ શુદ્ધ રાખી, પ્રભુ પ્રગટમાં તલ્લીન થતી …. ૬
પ્રભુ પ્રગટ કરવા, નાદ સંધાન કરી, સાકાર દિવ્યતા ભરવી છે,
આત્મ જ્ઞાન વિધાની સહુનુ એની સાચી સમજમાં રહેવું છે …. ૭
કવિની કલ્પનાના શબ્દો ભરી, શબ્દોની જાળ નથી ગૂંથવી,
મારે તો નીરવ શાંતિ તણી, આજ્ઞાઓને પાલન કરવી …. ૮
અંધારાનો અંધકાર હોય ભલે, જ્યોતિર્ધર પ્રભુ પ્રકાશ કરે,
એની સાનમાં આગમ સમજ ભરી, વિકાસ કરવા પ્રેરણા ભરે …. ૯
વાસનાઓ સઘળી બાળીને, ગર્વનું મૂળ ઉખેડીને,
પ્રભુ પ્રગટ, પુર્ણમાં મળવું, ભૂલોનાં મૂળો ફેંકીને …. ૧૦
॥ ૐ ॥