પ્રભુની જ કૃપાથી નાદ ગુંજતો

॥ ૐ ॥


  (રાસ)

પ્રભુની જ કૃપાથી નાદ ગુંજતો

માર્ગ સાચો, એ છે પ્રેરણા ભરતો

ખંત રાખી પ્રભુજી, સૌને જગાડે તો

                સાદ એનો સાંભળે રે …. લોલ ….

અંતરમાં પ્રભના, પ્રસાદે શાંતિ

નહિ રહે તેને, મમતાની ભ્રાંતિ

અજ્ઞાન સમૂળું નાશ જ થાશે

                તો જ્ઞાનની ભરતી રહે રે …. લોલ ….

મોહ-શોક બ્રહ્મના, નાદથી ભાગતા

દિવ્ય પ્રભુમાં રહે એક જ પ્રિયતા

અખંડ આનંદ, ભયને જ છોડે

                સાચી તો, સ્થિર​તા મળે રે ….લોલ ….

શક્તિ ને ભક્તિમાં દૃઢતા પ્રભુની

તૃપ્તિ જ સાચી, પ્રભુના ભાવની

પ્રભુજી પ્રેમાનંદ વર્ષાવે

                તો ખોટ કદી આવે નહિ રે …. લોલ ….

મધુર રસ ભરીને, મધુર બનાવે

વાણી નેત્રને નિર્મળ રખાવે

પ્રાણમાં એનું જ બળ ભરી દેતો

                વાસના બળી જાશે રે …. લોલ ….

અચળ પ્રકાશ એનો અચળ સમતા

હૃદયમાં પ્રગટ પ્રભુ, પોતે જ બોલતા

પ્રભુ રક્ષણ તેજને વધારે

                તો સત્ય દૃઢતા રહે રે …. લોલ ….

અવિનાશી કૃપાથી વિષાદ છૂટતાં

અવાજ ધ્યાન રાખે, નથી જ ભૂલતા

સાક્ષી  ભાવે ભાવીને જાણનારો

                જાડીનો બીજા મળે નહિ  રે …. લોલ ….

સંયમ  પાકો નિષ્ઠા રહે પાકી

પાકી શ્રદ્ધા ને બુદ્ધિ સ્થિર​ પાકી

સત્યવૃત્તિને એ જ પોષનારો

                સત્ય રૂપે પ્રગટ રહે  રે …. લોલ ….


॥ ૐ ॥